સંવિદા (#11074)

હે નાથ ! તારા પથ પર અમારા ચરણોને  સ્થિરતા પ્રદાન કર. તારી આજ્ઞાના પાલન માટે અમારાં હૃદયોને મજબૂત કર. તારા અદ્વૈત સૌદર્ય પ્રત્યે અમને આકર્ષિત કર. દૈવી એકત્વના સંકેતોથી અમારા હૈયામાં હર્ષ ઉત્પન્ન કર. અમારાં શરીરોને તારી ઉદારતાના વસ્ત્રોથી સજાવ. અમારી આંખ આડેથી પાપવૃત્તિનાં પડળ હટાવી દે. અમને તારી કરુણાના અમૃતનું પાન કરાવ કે જેથી બઘા જ જીવનું આદિરૂપ તારી ભવ્યતાને નીરખીને તારા ગુણ ગાય. હે સ્વામી! તારા દયાપૂર્ણ ઉદ્ગારો અને દૈવી સ્વરૂપનાં રહસ્યો એમની સમક્ષ વ્યકત કર કે જેથી તારી પ્રાર્થનાનો પવિત્ર આહ્લાદ અમારા આત્માઓને ભરી દે. એ પ્રાર્થના શબ્દો અને અક્ષરોના સ્તરથી કંઈક વિષેશ હશે, અને આરોહ અવરોહ તથા ઘ્વનિના સ્પંદનોની પેલે પાર હશે કે જેથી અદ્ભૂત આભાયુકત પ્રાકટય પહેલાં સકળ પદાર્થજગત શૂન્યમાં વિલીન થઈ જાય. 
હે નાથ! આ તારા સેવકો તારી સંવિદા અને આદેશપત્ર પ્રત્યે  દ્ઢનિષ્ટ રહ્યા છે. આ સંવિદા તારા ઘર્મના સાતત્યના તાણા અને વાણા સમાન છે. આ સેવકોએ તારા ભવ્યતમ વસ્ત્રનો પાલવ પકડી રાખ્યો છે. હે સ્વામી! એમના ઉપર કરૂણા કરીને સહાય આપ. તારા સામથ્ર્ય થકી એમને આશીર્વાદ આપ અને તારી  આજ્ઞાના પાલનમાં એમને અડગ બનાવ. તું ક્ષમાવાન, દયાળું છે.

-`Abdu'l-Bahá
-----------------------

સંવિદા (#11075)

હે પ્રભુ! મારા પરમેશ્વર! તારા આસ્થાવાન સેવકોને અહંભાવ અને આવેગના દૂષણોથી બચાચી લે.બઘા પ્રકારના વેરઝેર, ઘૃણા, અદેખાઈ સામે તારા માયાળુ પ્રેમની જાગરૂક  દૃષ્ટિથી એમનું જતન કર. તારા ઘર્મના અજેય  ગઢમાં એમને આશરો આપ અને સંશયની બરછીઓથી સહીસલામત રાખીને એમને તારા ભવ્ય સંકેતોના અભિવ્યકત રૂપ સમાન બનાવી દે. તારા દૈવી એકત્વના ઉદયાચલમાંથી પ્રગટતાં દિવ્ય રશિ્મઓથી એમનાં મુખોને કાંતિમાન બનાવ. તારા પવિત્ર રાજયમાંથી પ્રગટતાં કાવ્યોથી એમનાં હૃદયોમાં હર્ષનો સંચાર કર. તારા ભવ્ય પ્રદેશમાંથી આવતાં સર્વજિત સામથ્ર્યથી એમને પુષ્ટ બનાવ. તું પરમ ઉદાર, રક્ષક, સર્વશકિતમાન, કરૂણાસાગર છે!

-`Abdu'l-Bahá
-----------------------

