પ્રાતઃકાળ (#11034)

હે મારા પ્રભુ હું તારી નિશ્રામાં જાગ્યો છું એ આશ્રય જે ઝંખતા હોય એમણે તારા રક્ષણના અભયસ્થાન અને તારા સંરક્ષણના કિલ્લામાં રહેવાનું હોય છે. હે નાથ, જેમ તું મારા બાહ્ય અસિ્તત્વને તારા અનુગ્રહની ઉષાના પ્રકાશથી અજવાળે છે તે જ રીતે મારા અંતરતમને પણ તારા ઘર્મના જ્ઞાનોદયથી પ્રકાશિત કર.

-Bahá'u'lláh
-----------------------

પ્રાતઃકાળ (#11035)

હે માર પ્રભુ, માર નાથ ! હું તારો દાસ છું, તારા દાસનો પુત્ર છું. હું તારા આદેશના ગ્રંથોમાં નિર્દિષ્ટ છે તે પ્રમાણે, આ પરોઢિયે, તારી ઈચ્છાના અરૂણોદયમાં, તારા અદ્ધૈતનો દિવ્ય તારી સમગ્ર સૃષ્ટિ ઉપર પોતાની આભા વેરે છે  ત્યારે મારી પથારીમાંથી ઉભો થાઉં છું. હે મારા પરમેશ્વર, તારા જ્ઞાનના પ્રકાશની છોળો ઊછાળે છે ત્યારે અમે જાગ્યા છીએ તે માટે સદાયે તારી સ્તુતિ કરીએ. હે નાથ, હવે, અમારા પર એવું શકિતવર્ષણ કર કે જેથી અમે તારા સિવાયનાં સઘળાંનો ત્યાગ કરી શકીએ અને તારા પ્રત્યેના અનુરાગ સિવાયના સર્વ અનુરાગોથી અનાસક્ત થઈ શકીએ. વળી હે પરમાત્મા, મારા માટે અને મારા પ્રિયજનો તથા મારાં સગાંસંબંઘીઓ માટે, સ્ત્રી–પુરુષ સૌને માટે, સમાન ભાવે એવું વિઘાન કર કે અમને આ લોક અને પરલોકમાં જે કલ્યાણકારી છે તેની પ્રાપ્તિ થાય. હે સમગ્ર સૃષ્ટીના પ્રિયતમ, હે સમગ્ર બ્રહ્માંડની પિપાસાના પ્રભુ, માણસોના હૃદયમાં કુટિલતા ભરનારા, જે દુષ્ટ વાતો કાનમાં કહેનારા છે તેમનાથી અમને તારું અચૂક રક્ષણ આપ. તું જે કરવા ઘારે તે કરી શકે છે તું નિસંશય, શર્વશકિતમાન, સંકટનો સાથી, સવયંપૂર્ણ છે. 
હે મારા નાથ, પ્રભુ જેને તેં તારાં સર્વોત્કૃષ્ટ નામાભિઘાનો પ્રદાન કર્યાં છે અને જેના દ્વારા તેં દૈવી અને આસુરી વૃતિ્તવાળા વચ્ચે ભેદ કર્યો છે તેને આશીર્વાદ આપ, અને તને જે પ્રિય છે, જે તું ચાહે છે તેવું કરવામાં અમને સહાય કર. વળી હે મારા ઈશ્વર, જે તારા પવિત્ર શબ્દો અને પાવન અક્ષરો બન્યા છે, જે તારા તરફ અભિમુખ થયા છે, જેમણે તારા મુખારવિંદ પર ચાતક દૃશ્ટી માંડી છે અને તારા આહ્વાનને સાંભળ્યું છે એમને પણ આશીર્વાદ આપ. 
ખરેખર, તું સમગ્ર માનવજાતનો સ્વામી છે, સમ્રાટ છે, સમગ્ર સૃષ્ટિ પર તારું આઘિપત્ય છે.

-Bahá'u'lláh
-----------------------

પ્રાતઃકાળ (#11062)

હે કરૂણાસિંઘુ પરમેશ્વર ! તેં મને જગાડયો અને ભાનમાં આણ્યો તે માટે તારો પાડ માનું છું તેં મને જોવા માટે આંખ અને સાંભળવા માટે કાન આપ્યા છે તું મને તારા સામ્રરાજય તરફ લઈ ગયો છે. તેં મને તારા માર્ગે ચાલવામાં માર્ગદર્શન આપ્યું છે તેં મને રસ્તો દેખાડયો છે અને મુકિતના દ્વારમાં પ્રવેશ કરાવ્યો છે. હે પ્રભુ, હવે મને અવિચળ, દ્રઢ અને નિષ્ઠાવાન બનાવ. આકરી કસોટીઓમાં મારું રક્ષણ કર અને તારી સંવિદાના મંદિરમાં અને સંવિદાના મજબૂત કિલ્લામાં મને આશરો આપ. તું સમર્થ છે! તું એટલે મારી દર્શનની ક્રિયા, તું એટલે મારી શ્રવણની  ક્રિયા ! 
હે પરમ કુપાળુ પરમાત્મા, મને દર્પણ જેવું નિર્મળ હૃદય આપ કે જે તારા પ્રેમના પ્રકાશથી ઝળહળી ઊઠે. મારામાં એવા વિચારોની પ્રેરણા કર કે જે આ વિશ્વને દિવ્ય કૃપાની વર્ષાથી ગુલાબવાડીમાં ફેરવી નાખે. તું કૃપાળુ, દયાળુ છે, તું મહાન કલ્યાણકારી છે !

-`Abdu'l-Bahá
-----------------------

